Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કાલે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ત્રણ મહાસભાને સંબોધશે

કાલોલમાં મહાસભા બાદ વડાપ્રધાન છોટા ઉદેપુરના બોડેલીમાં સભા ગજવશે: હિંમતનગરમાં મહાસભાને સંબોધશે : અમદાવાદમાં પણ પીએમ રોડ શો કરશે

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ત્રણ મહાસભાને સંબોધન કરવાના છે.. વડાપ્રધાન સૌથી પહેલા પંચમહાલના કાલોલમાં મહાસભાને સંબોધશે.ત્યારબાદ વડાપ્રધાન છોટા ઉદેપુરના બોડેલીમાં સભા ગજવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતનગરમાં મહાસભાને સંબોધશે.સાથે જ અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદી રોડ શો કરવાના છે. 

(9:23 pm IST)