Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પાલનપુરના માન સરોવર તળાવમાં ડૂબી જવાથી વધુ એક યુવકનું મૃત્યુ નિપજતા અરેરાટી

પાલનપુર: શહેરના માન સરોવર તળાવમાં વધુ એક યુવકનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. વહેલી સવારે તળાવ કાંઠે એક યુવક કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પાણીમાં ગરકાવ થયો હતો. બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં પાલિકા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટીમે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરીને ભારે જહેમતના અંતે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પાલનપુરમાં રવિવારની વહેલી સવારે કોઈ યુવક માનસરોવર તળાવમાં ડૂબ્યો હોવાની વાત વહેતી થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ તેમજ ફાયર ફાયરને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભારે જહેમતના અંતે તળાવના કીચડમાં ખુંપી ગયેલા યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડોંગિયા મડાણા બાજુનો જ્યંતિ પ્રકાશભાઈ વેડું નામનો યુવક જાણવા મળાત બનાવ અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. લાશને પોસ્ટ મોર્ટ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવમાં બારે માસ ગટરનું દૂષિત પાણી ભરાયેલું રહેતું હોઈ આ તળાવમાં અવાર-નવાર ડૂબી જવાની ઘટનાઓ સર્જાઈ રહી છે.

(5:23 pm IST)