Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અમદાવાદના નારણપુરામાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ: 19 કોમર્શિયલ એકમોના દબાણો તોડી પાડવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં શુક્રવારે નારણપુરા વોર્ડમાં મોટાપાયે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ટીપી ૨૯માં ' સત્વ - થી સ્વામિનારાયણ મંદિર' ભુયંગદેવ તરફના ૧૮ મીટરનો ટીપી રોડ ખૂલ્લો કરાયો હતો. જેમાં ૧૯ કોમર્શિયલ એકમો અને   રહેણાંકના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.૩૦૦ મીટરનો રસ્તો ખોલવાની કામગીરી શનિવારે પણ યથાવત રહેનાર છે. રન્નાપાર્કના ૩૦ મીટર પહોળાઇના મુખ્ય રસ્તા પરના કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

પશ્ચિમ ઝોનમાં વાસણા વોર્ડમાં વાસણા પોલીસ સ્ટેશનની પાછળ સૌરભનગરના રોડ પરના ૩૩  રહેણાંક મકાનોના કાચા શેડના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જી.બી.શાહ કોલેજથી બી.એસ.એન.એલ ઓફિસ સુધીના પટ્ટમાં રોડ પરના ૧૨ કોમર્શિયલ એકમોના શેડ દુર કરીને રોડ ખૂલ્લો કરાયો હતો.

(5:08 pm IST)