Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સુરતના કતારગામમાં કોરોના કાળમાં કામ ન મળતા શખ્સે ઝેર ગટગટાવી મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરની નવી સિવિલ ખાતે થી મળેલી વિગત મુજબ કતારગામ માં આવેલી સોસાયટીમાં રહેતા 48 વર્ષીય પોપટભાઈ ભગવાનભાઈ ગબાણી ગઈ કાલે સવારે વેડરોડ ગુરુકૃપા કશ્યપ ફાર્મ નજીકમાં મૂકેલા બાંકડા પર બેસીને ઝેરી દવા પીને તેમના ભાઇને ફોન કર્યો હતો. જેથી તરત તેમના ભાઈ ત્યાં પહોંચી ગયા હતા અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ગઈકાલે મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે અગાઉ એમ્બ્રોઈડરીના કામ સાથે સંકળાયેલા હતા. જોકે કોરોના કાળમાં તેમને યોગ્ય નોકરી નહીં મળતા પગલું ભર્યું હતું જ્યારે તેમના પરિચિત વ્યક્તિએ કહ્યું હતું કે પોપટભાઈ મૂળ ભાવનગરના વલ્લભીપુરમા હળીયાદના વતની અટક એમની બે સંતાન છે. જોકે કોઈ ધંધાના પૈસા માટે તેમને દબાણ કરતું હશે. આવા આક્ષેપ કર્યા હતા. અંગે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:03 pm IST)