Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનમાંથી 1.65 લાખની મતાની ઉઠાંતરી

નડિયાદ: મોટાપોર વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો સોનાના દાગીનાની રૂપિયા ૧.૬૫ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મોટાપોર વિસ્તારમાં અનુપકુમાર રાજુભાઈ પટેલ રહે છે ગત તા.૨૭-૧૦-૧૮ની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ અનુપકુમાર પટેલના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીનું લોક તોડી તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના કિંમત ૧.૬૫ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:53 pm IST)