Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહારઃ 'કમલમમાં કકળાટ, 'પાયાનાં પત્થર' સમાન વફાદારો ચુંટણી લડશે, કે પછી..,'

ગાંધીનગર,તા. ૩૦: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે ત્યારે આ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. પરેશ ધાનાણીએ ભાજપ પર કટાક્ષ કરીને ચૂંટણીનો જંગના બ્યૂગલ ફૂંકયા છે. પેટાચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ

પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને કટાક્ષ કર્યો છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે, વફાદારો ચૂંટણી લડશે કે પછી વટલાયેલા ગદ્દાર? :ધાનાણીએ પક્ષ પલટુ નેતાઓને ગદ્દાર ગણાવ્યાં છે. પરેશ ધાનાણીએ કમળમાં કકળાટ શબ્દનો પ્રયોગ કરતા પેટાચૂંટણીમાં  ભાજપના ઉમેદવારોને લઇને કટાક્ષ કર્યો છે.

(12:35 pm IST)