Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતના વરાછામાં મધ્ય રાત્રીએ ડોકટરના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા: 76 હજારની મતાની ઉઠાંતરી

સુરત: શહેરના વરાછાના બોમ્બે માર્કેટ રોડની છીતુ નગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો મહિલા ડૉક્ટર સહિત બે ઘરને નિશાન બનાવી ૭૬ હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

વરાછાના બોમ્બે માર્કેટ રોડ સ્થિત રણુજાધામ સોસાયટીની બાજુમાં આવેલી છીતુ નગર સોસાયટીમાં રહેતા ડૉ.રીયા અશોક કાચા (.. 23 મૂળ વંથલીજુનાગઢ)ના પિતા અને માતા હર્ષાબેન તથા ભાઇ અર્જુન હાલ વતન ગયેલા છે. જેથી ડૉ.રીયા હાલ સરથાણા યોગી ચોક સ્થિત મંગલમ રેસીડન્સીમાં માસીને ત્યાં રહે છે. શનિવારે રીયા ફરજ પર હતી ત્યારે પડોશીઓ થકી જાણવા મળ્યું કેતેમના ઘરના તાળા તુટેલા છે.

(6:10 pm IST)