Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગાંધી જયંતિથી ખાદી સરિતામાં ખાદી વેચાણ ઝુંબેશ : આ વખતે વિવિધ ડિઝાઇનોવાળા ડ્રેસ પણ ઉપલબ્ધ

અમદાવાદ તા ૩૦  : ખાદી સરિતા તેના નવા રંગરૂપ સાથે ર ઓકટોબરથી ખાદી વેચાણની ઝુંબેશનો પ્રારંભ કરશે. ગાંધી જયંતીએ સવારે ૯.૩૦ કલાકે જાણીતા લેખક અને ચિંતક શ્રી રઘુવીરભાઇ ચોૈધરી ખાદી કમીશનના  ડે.સી.ઇે.ઓે. સંજય હેડાઉ, એલીશબ્રીજ ના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ ,શ્રી અક્ષય શાહ, શ્રી  પરાગ ત્રિવેદીને સુતાંજલી અર્પણ કરી ખાદી વેચાણ ઝુંબેશ પ્રારંભ કરાવશે. આ અંગેનો આખરી ઓપ ખાદી સરિતા ના મેનેજરશ્રી દિપેશ બક્ષી તથા તેનો સટાફ કરી રહયો છે. આ વર્ષે વિવિધ ડીઝાઇનોવાળા ડ્રેસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ખાદી સરિતાએ અમદાવાદ માટે જાણીતુ અને માનીતુ બની ગયાનું  યાદીમાં જણાવાયું છે.

(4:12 pm IST)