Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજપીપળામાં જન્માષ્ટમી નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરમાં સુકામેવા થી ભગવાનનો શણગાર કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હવાથી સરકાર દ્વારા તમામ ધાર્મિક તહેવારો તથા મેળાની ઉજવણી કરવા ઉપર કેટલાક નિયંત્રણ લાગુ કરાયા છે ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે રાજપીપળા ખાતે ના રાધા કૃષ્ણ મંદિરમાં ભગવાન નો સુકામેવાથી શણગાર કરવામાં આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે સરકારની ગાઈડલાઈન મુજબ સાદાઈથી ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.જોકે આ વર્ષે મટકીફોડ બાબતે કોઈ મંજૂરી ન મળતા ભક્તો ફક્ત કૃષ્ણ દર્શન અને જન્મોત્સવ નો લાભ લઇ શકસે તેમ પણ જાણવા મળ્યું છે

(11:40 pm IST)