Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજ્યમાં કોરોના વિદાય ભણી : છેલ્લા 24 કલાકમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓ સ્વસ્થ થયા : આજે પણ કોઈ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ : કુલ ૮,૧૫,૧૭૯ લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ 3 કેસ, કચ્છ - પોરબંદર - સુરત અને વડોદરા શહેરમાં 2 કેસ, અને મેહસાણામાં 1 નવો કેસ નોંધાયો : હાલમાં ૧૫૦ એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 20થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે. આજે નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 13 દર્દીઓ રિકવર થયા છે.

રાજ્યમાં આજે કોરોનાના નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 13 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૭૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે

રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 146 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૭૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12 કેસમાં અમદાવાદ 3 કેસ, કચ્છ - પોરબંદર - સુરત અને વડોદરા શહેરમાં 2 કેસ, અને મેહસાણામાં 1 નવો કેસ નોંધાયો છે.

(7:57 pm IST)