Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

દાંતીવાડા તાલુકાના શેરગઢમાં પત્ની સાથે આડા સંબંધની આશંકાએ સગા ભાઈને મોતનેઘાટ ઉતારનાર વિરુદ્ધ ગુનો દાખલ

દાંતીવાડા: તાલુકાના શેરગઢમાં પત્ની સાથે આડા સંબધની આશંકા રાખી પોતાના સગા ભાઇની હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શેરગઢમાં પોતાની પત્ની  સાથે આડો સંબંધ હોવાનો શક વહેમ રાખી બંને ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી.જેમાં  રતુભાઈ ખાટલામાં સુતેલ હતા તે વખતે ભરતે પાવડાના હાથા વડે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને દાંતીવાડા પોલીસને જાણ કરતા પીએસઆઇ અજય ચૌધરી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.જોકે દાંતીવાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મુકબધીર ભરતને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

(4:47 pm IST)