Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો

વડી અદાલતના મુખ્ય ન્યામૂર્તિ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યામૂર્તિ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત : બંને ન્યાયાધીશઓને સ્મૃતિ ભેટ અને શાલ અર્પણ કરી સન્માન

ગાંધીનગર : ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યામૂર્તિ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યામૂર્તિ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આ બેય ન્યાયાધીશઓના માનમાં શુભેચ્છા વિદાય સમારોહનું  ગાંધીનગરમાં આયોજન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક ભાઈ પટેલ.કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિહ જાડેજા તેમજ ગુજરાત વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ કમલ ભાઈ, રાજ્યના મુખ્ય સચિવ  અનિલ મુકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સહિત ન્યાયક્ષેત્ર સાથે જોડાયેલા પૂર્વ ન્યાયધીશશ્રીઓ વગેરે આ વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વિદાય લઈ રહેલા બેય ન્યાયાધીશઓને સ્મૃતિ ભેટ અને શાલ અર્પણ કરી સન્માન  કર્યું હતું.

(10:17 pm IST)