Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

માર્ગ મકાન વિભાગના ૧૮ નાયબ ઇજનેરોને કાર્યપાલક પદે બઢતી

બઢતી સાથે બદલીમાં મોરબીના એ.જી.સોલંકી, દ્વારકાના પી.પી.પરમાર, ગાંધીધામના એસ.એમ.મુરજાણીનો સમાવેશ

રાજકોટ,તા. ૩૦ : માર્ગ મકાન વિભાગ દ્વારા ૧૮ નાયબ કાર્યપાલક ઇજનેરોને કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપતા હુકમ કરવામાં આવ્યો છે.

જેતપુરના કે.પી.ચૌહાણને ભાવનગર નગરપાલિકા કમિશનર કચેરી, ગાંધીધામના એસ.એમ.મુરજાણીને જામનગર, મોરબીના એ.જી.સોલંકીને જૂનાગઢ, દ્વારકાના પી.પી. પરમારને પી.આઇ.યુ. હેલ્થ રાજકોટ, ખાતે નિમણુક આપવામાં આવી છે. આ હુકમ વિભાગના અધિક સચિવ કલ્પેશ શાહની સહીથી પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

(12:04 pm IST)