Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જમીન સંપાદનના વળતર સબંધી કેસોના નિકાલ માટે રાજકોટ સહિત ૩ શહેરોમાં નિવૃત્ત જજની નિમણૂક

મહેસુલી કર્મચારીઓની ખાતાકીય તપાસના કેસો માટે લોક અદાલત જેવી વ્યવસ્થા : શહેરી જમીન ટોચ મર્યાદાની ફાજલ જમીન બાબતે કલેકટરોને વધુ સત્તા અપાઇ

રાજકોટ તા. ૩૦ : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજયમાં જમીન સંપાદનના ૨૦૧૩ ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર નક્કી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ ૨૩ હેઠળ નિયત કરવામાં આવેલ વળતરની રકમથી કોઇ ખેડૂત ખાતેદાર અથવા હિતધારકોને અસંતોષ હોય તો કલમ ૬૪ હેઠળ વધારાના વળતર માટે રેફરન્સ અરજી કરવાની જોગવાઇ છે. અગાઉ જમીન સંપાદન કાયદામાં આવી વધારાના વળતર સંબંધી અરજીઓ જિલ્લા અદાલત સમક્ષ કરવાની જોગવાઇ હતી જેનો નિકાલમાં ઘણો સમય વ્યતિત થતો હતો. આ રેફરન્સ હવે નવા કાયદા હેઠળ ઓથોરીટી સમક્ષ કરવાના થાય છે. રાજયના ખેડૂતોને રેફ. અરજીઓના સંદર્ભે દૂર દૂરથી ગાંધીનગર અથવા અમદાવાદ સુધી આવવું નહીં પડે. આ ઓથોરીટીએ ફકત વળતર સંબંધી કેસોનો જ નિકાલ કરવાનો હોવાથી આવા કેસોનો ઝડપથી નિકાલ થશે.ઙ્ગ

મંત્રીશ્રી ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજયના સુગ્રથિત વિકાસ માટે જમીન સંપાદનના વળતરના પ્રશ્નો સંદર્ભેની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૃપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે આ નિર્ણયના કારણે સંપાદન થતી ખેડૂતોના વળતર સંબંધી પ્રશ્નો સંદર્ભે ત્રણ નિવૃત્ત્। ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં ઝડપથી નિકાલ થશે.ઙ્ગ

મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર શહેરી સંકુલોમાં ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા ઇસમોએ ભરેલ ડેકલેરેશન ફોર્મ સંબંધે કલમ – ૮(૪) થી કલમ – ૧૦(૬) સુધીની કાયદાની કાર્યવાહી હાથ ધરી વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો સરકાર હસ્તક કબજો સંભાળવામાં આવતો હતો. અત્યાર સુધી જે કેસોમાં કાયદાની કલમ – ૧૦(૩) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય અને વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેવા કેસો સાથે સંબંધીત જમીનોને 'ના વાંધા પ્રમાણપત્ર' આપવાની - આખરી નિર્ણય કરવાની કાર્યવાહી સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવતી હતી. મહેસૂલી ક્રાંતિ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા ૨૨ જેટલી સેવાઓ ઓનલાઇન કરીને વહીવટી કાર્ય પદ્ઘતિમાં ઝડપ અને પારદર્શકતા લાવવામાં આવી છે. તે સંદર્ભે 'ના વાંધા પ્રમાણપત્ર' આપવાની કામગીરીમાં ઝડપ અને સરળતા માટે રાજય સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને કલેકટરશ્રીઓને નીચે મુજબની વધુ સત્તા આપવા માટે નિર્ણય કરેલ છે.ઙ્ગ

૧. અધિનિયમ હેઠળ જે કેસોમાં કાયદાની કલમ ૧૦(૫) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય પરંતુ વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેમજ કોઇ કોર્ટ લીટીગેશન થયેલ ન હોય તેવા કેસો.

૨. અધિનિયમની કલમ ૨૦ અન્વયેની ખેતી મુકિત અને કલમ ૨૧ અન્વયેની આવાસ યોજના અંગેના પ્રકરણોમાં જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય અને કોઇ કોર્ટ કેસ થયેલ ન હોય ઉપર મુજબના બન્ને કેસોમાં આખરી નિર્ણય કરવાની સત્ત્।ા કલેકટરશ્રીઓને આપવામાં આવી છે.ઙ્ગ

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.૧૭.૦૭.૨૦૨૦ થી લોકઅદાલત જેવું તંત્રની શરૃઆત કરવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગના ૩૩ જિલ્લા કલેકટરશ્રીઓ કક્ષાએ, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રી, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પશ્રી તથા નોંધણી સર નિરીક્ષકશ્રીની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ ૩૬ ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે.ઙ્ગ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા કક્ષાની સમિતિઓમાં જે તે જિલ્લાના કલેકટરશ્રી તથા નજીકના અન્ય બે જિલ્લાના કલેકટરશ્રીઓ એમ કુલ ૩ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.ઙ્ગ

સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રીના ખાતાની સમિતિમાં સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રી, સુપ્રી.ઓફ સ્ટેમ્પસ તથા જિલ્લા કલેકટરશ્રી ગાંધીનગર એમ કુલ ૩ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.ઙ્ગ

સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પશ્રી ખાતાની સમિતિમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પશ્રી, જિલ્લા કલેકટરશ્રી અરવલ્લી તથા જિલ્લા કલેકટરશ્રી ગાંધીનગરનો એમ કુલ ૩ નો સમાવેશ સમિતિમાં કરવામાં આવ્યો છે.ઙ્ગ

નોંધણી સર નિરીક્ષકશ્રીની ખાતાની સમિતિમાં નોંધણી સર નિરીક્ષકશ્રીની જિલ્લા કલેકટરશ્રી અરવલ્લી તથા જિલ્લા કલેકટરશ્રી ગાંધીનગરનો એમ કુલ ૩ નો સમાવેશ સમિતિમાં કરવામાં આવ્યો છે.ઙ્ગ

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખાતાના વડાઓ હસ્તકના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસમાં જો વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીને હળવી કે ભારે શિક્ષા માટે આરોપનામું બજવેલ હોય ત્યારે તેઓ આરોપનામા સંબંધમાં તેમની રજુઆત 'ઉચ્ચ કક્ષાની સમિતિ' સમક્ષ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય જો કર્મચારીને માન્ય હોય તો તે મુજબ હુકમો કરીને કેસોના નિકાલ કરી શકે છે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકે અને કર્મચારીને ખાતાકીય તપાસની લાંબી પ્રક્રીયામાંથી મુકિત મળી શકે.

(3:32 pm IST)