Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગુજરાતમાં આપના નેતાઓ અને કાર્યકરો ઉપર હુમલા અંગે કેજરીવાલે વિજયભાઈ સાથે ફોન પર વાતચીત કરી: તાત્કાલિક પગલાં ભરવા અને આરોપીઓની ધરપકડ કરવા તથા આપના કાર્યકરોની સુરક્ષા માટે અપીલ કરી

દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય કન્વીનરશ્રી અરવિંદ કેજરીવાલે  ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી હતી અને તેમને વિસાવદર ખાતે આપના નેતાઓ ઉપર ખૂની હુમલા અંગે એફઆઈઆર દાખલ કરવા અને હુમલાના આરોપીઓને ઝડપી લેવા વિનંતી કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, વિજય રૂપાણીજી સાથે મેં વાત કરી હતી. તેમને એફઆઈઆર દાખલ કરવા, ગુનેગારોની ધરપકડ કરવા, ગુનેગારો સામે કડક કાર્યવાહીની ખાતરી કરવા અને 'આપ' નેતાઓ અને કાર્યકરોની સુરક્ષાની ખાતરી આપવા તાકીદ કરી હતી.

(11:08 pm IST)