Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા 29 જેટલા અધિકારીઓને બઢતી અપાઈ

રાજકોટના કે.આર. નંદાણીને ગાંધીનગરમાં મુકાયા :અમરેલીના પી.બી.પટેલ અને જૂનાગઢના ડી.આર.બામટની રાજકોટમાં નિયુક્તિ :

અમદાવાદ : રાજય સરકારે વહીવટી તંત્રમાં ફેરફાર શરૂ કર્યા છે,આજે માર્ગ અને મકાનમાં નાયબ કાર્યપાલ ઇજનેર તરીકે ફરજ બજાવતા ર9 જેટલા અધિકારીઓને કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપીને તેમની બદલી કરી છે તેમાં રાજકોટના પી.આઇ.યુ. હેલ્થમાં ફરજ બજાવતા કે.આર.નંદાણીને ગાંધીનગરમાં પી.આઇ.યુ. હેલ્થમાં ફરજ સોંપાઇ છે જયારે રાજકોટમાં ગુણવતા નિયમન તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા બી.ડી.વૈદને તે જ હોદા પર પ્રમોશન આપવામાં આવ્યું છે.

 અમરેલીમાં જિલ્લા પ્રયોગ શાળામાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પી.બી.પટેલને રાજકોટમાં માર્ગ-મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર બનાવાયા છે. જયારે જુનાગઢમાં ઇજનેરી પ્રયોગશાળામાં ફરજ બજાવતા ડી.આર.બામટાને રાજકોટમાં પંચાયત માર્ગ-મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર બનાવાયા છે.

(8:08 pm IST)