Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગૃહમંત્રી અમિતભાઈ શાહ 11-12 જુલાઈએ આવશે અમદાવાદ : ભગવાન જગન્નાથજી મંદિરે દર્શન કરશે

રથયાત્રા સંદર્ભે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ અમિતભાઈની મુલાકાતથી આશા બંધાઇ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજના દર્શન અને પરિવાર સાથે મંગળા આરતી કરશે. દર વર્ષે અષાઢી બીજની સવારે પરિવાર મંગળા આરતીમાં ઉપસ્થિત થાય છે આ વર્ષે પણ તે પરંપરા નિભાવશે ગત વર્ષે કોરોના ના કારણે જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી ન હતી

જગન્નાથજીની જળયાત્રા ખુબ જ સાદગી અને ઓછી સંખ્યાની સાથે કાઢવામાં આવી હતી . આ જળયાત્રા નીકળવાના કારણે લોકોને ખાસ રથયાત્રા નીકળશે તેવી આશા બંધાઈ છે આ મામલે ગૃહ રાયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રથયાત્રા સંદર્ભે આગામી દસ દિવસમાં કોરોના કેસની સમીક્ષા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ નિર્ણય થયો નથી તેવું તેમણે સ્પષ્ટ્રપણે જણાવ્યું છે.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ બે દિવસનો ગુજરાત પ્રવાસ નક્કી થતાં તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે આ વખતે રથયાત્રાને લઈને રાય સરકાર હજુ સુધી કોઇ નિર્ણય કરી શકી નથી પરંતુ રથયાત્રા કર્યુ વચ્ચે કાઢવામાં આવે તેવા સ્પષ્ટ્ર સંકેતો રાયના ગૃહ મંત્રાલય તરફથી મળી રહ્યા છે.

(10:56 am IST)