Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કાયદો વ્યવસ્થા કડક રીતે જાળવનાર નિવૃત ડીજીપી તીર્થરાજનું નિધનઃ પોલીસ તંત્રમાં શોકની લાગણી

બે વર્ષ પહેલા નિવૃત આ અધિકારી શારીરિક રીતે ખૂબ ફિટ હતા, એટેક જીવલેણ નીવડયો, તબીબ પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રાણ ત્યજી દીધેલ

રાજકોટ તા.૩૦: ગુજરાતના નિવૃત્ત સિનિયર આઇપીએસ તીર્થરાજજીનું નિધન થતાં પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે, અમદાવાદ ખાતે આજે વહેલી સવારે તેમના નિધનના સમાચાર મળતાં  પોલીસ તંત્રમાં ભારે આઘાતથી સ્તબધ્ધ બની છે.                                              

સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહત્વના સ્થાનો પર ફરજ બજાવી નિવૃત્ત થયેલ તેમના ઊંડા કાયદાકીય જ્ઞાનને કારણે પોલીસ તંત્રમાં જાણીતા હતા.કાયદો વ્યવસ્થા જાળવવા માટે કડક હાથે કામ લેવા માટે ટેવાયેલ આ અધિકારી વહીવટી જ્ઞાનમા પણ તજજ્ઞ હતા.

હજુ ૨ વર્ષ પહેલાં જ નિવૃત્ત થયેલ તીર્થરાજજી શારીરિક રીતે પણ ખૂબ ફિટ હતા,તેઓને જોરદાર એટેક આવ્યો અને તબીબ આવતા સુધીમાં તેવોએ પ્રાણ તાજી દીધા હતા. તેવોની છાપ એક ઉમદા અને સ્વમાની અધિકારી તરીકેની હતી.                           

 સ્વર્ગસ્થ તીર્થરાજજી અમદાવાદ ખાતે ૧૫, સાયોના ફ્લેટસ, એચ ૧૫ બ્લોક, પાર્ટ /૪ સાયોનાં સિટી, આર.સી.ટેકનિકલ રોડ, ઘાટલોડિયા, અમદાવાદ ખાતે રહેતા હતા.

(3:39 pm IST)