Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોના વિદાયના માર્ગે : રાજ્યના 17 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોના હવે વિદાયના માર્ગે છે રાજયના 17 જિલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયો નથી. જેમાં અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, તાપી અને વલસાડમાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. અમદાવાદ ગ્રામ્ય, જૂનાગઢ કોર્પોરેશન, ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે શૂન્ય કેસ રહ્યા છે.

(9:07 am IST)