Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગાંધીનગરમાં અગાઉ યુવાનના આપઘાત બાદ પોલીસે તપાસ હાથ ધરી પત્ની સહીત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર:શહેરને અડીને આવેલા ઈન્દ્રોડા ગામમાં રહેતા યુવાને ગત ડીસેમ્બર મહિનામાં આપઘાત કરી લીધો હતો અને તેના આપઘાત પાછળ પત્નિ અને સાસરીયા જવાબદાર હોવાનું અંતિમ ચીઠ્ઠીમાં લખ્યું હતું પરંતુ પોલીસે આ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલ્યા બાદ રીપોર્ટ આવતાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદના આધારે યુવાનની પત્નિ સહિત પાંચ વ્યક્તિઓ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે ઈન્દ્રોડા ગામમાં રહેતા જગદીશભાઈ ચંદુભાઈ નાગરે ઈન્ફોસીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમનો ર8 વર્ષીય નાનો ભાઈ કિરણે વર્ષ ર018માં સે-1પમાં રહેતી નીતાબેન રાજુભાઈ મારવાડી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.આ લગ્ન બાદ કિરણ અને તેની પત્નિ નીતા ઈન્દ્રોડામાં રહેવા આવ્યા હતા. 

(5:34 pm IST)