Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ગુજરાતમાં લોકડાઉનમાં મોટી છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી : રાજ્યમાં દુકાનદારો માટે ઓડ- ઇવન પદ્ધતિ બંધ : દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે : બેંકો પણ સંપુર્ણ ચાલુ થશે : AMTC બસ 50 ટકા મુસાફરો સાથે ચાલુ કરાશે: માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે

અનલોક 1 માં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ પણ છૂટછાટ નહીં, નવા ઝોન કાલે જાહેર કરાશે : સમગ્ર ગુજરાતમાં એસટી બસો દોડાવાશે : કંટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ અંગે કાલે જાહેરાત : ફોર વ્હીલરમાં 1+2 અને ટુવ્હીલર પર હવે 2 લોકોની સવારીની છૂટ : સચિવાલય પણ સોમવારથી સંપુર્ણ ચાલુ થશે

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન -5માં અનેક છૂટછાટ આપ્યા બાદ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટી રાહત આપતી જાહેરાત કરી છે, જેમાં રાજ્યના વેપાર ધંધા માટે સંપ્રુણ છૂટછાટ જાહેરાત કરતા ઓડ એન્ડ ઇવન પદ્ધતિ બંધ કરવા નિર્ણ્ય કર્યો છે અને આ સાથેજ ગુજરાતમાં દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે.

વિજયભાઈ રૂપાણીએ મોટ્ટી જાહેરાત કરી છે જેમાં સોમવારથી રાજ્યભરમાં એસટી બસો દોડાવશે જોકે તેમાં નિયમોનું પાલન કરતા ફૂલ કેપેસીટી પેસેંજરો બેસાડી શકાશે નહીં, 60 ટકા મુસાફરોને જ બેસાડવા નિર્ણય કરાયો છે રાજ્યના તમામ વિસ્તારોમાં બેંકો ફૂલ કેપેસીટી સાથે ખુલી રહેશે અમદાવાદમાં  AMTC બસ 50 ટકા મુસાફરો સાથે ચાલુ કરાશે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે. અનલોક 1 માં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ પણ છૂટછાટ નહીં અને કંટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ અંગે કાલે જાહેરાત કરવામાં આવશે.

(9:54 pm IST)