Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર યથાવત........

૨૮૪ પોઝિટીવ અને ૨૪નાં મોત

ગાંધીનગર,તા.૩૦ : કોરોનાએ અમદાવાદમાં જિલ્લામાં અને ખાસ કરીને શહેરમાં ભારે આતંક મચાવ્યો છે. અમદાવાદ શહેરમાં ૨૪૮ સહિત જિલ્લાનો કુલ આંકડો ૨૮૪ થયો છે. અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૨૫૦ના આંકડા સાથે પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આજે વધુ ૨૪ના મોત સાથે લોકડાઉન-૪ના અંતિમ ૨૪ કલાકમાં આંકડો ૮૦૦ને પાર કરી ૮૨૨ પર પહોંચ્યો છે. ઉપરાંત જિલ્લાના ૨૮૪ દર્દીઓને કોરોના પોઝિટીવ આવતા આંકડો લોકડાઉન- પુરુ થતા પહેલા ૧૨૦૦૦ને આબી જશે. આજે આંકડો  ૧૧૮૮૧ થયો છે. આજે રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટીવમાં સાજા થવામાં ૫૧૮ના આંકડા સાથે અમદાવાદ જિલ્લો સાજા દવાના દરમાં મોખરે છે. જ્યારે બીજીબાજુ રાજ્યમાં ત્રીજા સ્થાને રહેલ વડોદરામાં આજે કોરોના પોઝિટીવના વધુ ૨૮ દર્દી નોંધાતા તેનો આંકડો ૧૦૦૦ને વટાવીને ૧૦૦૯ થયેલ છે.

(9:36 pm IST)