Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સુરતના નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં સાંજના ચાર વાગ્યા બાદ દુકાનો ખુલી રાખનાર ત્રણની સ્થાનિક પોલીસે ધરપકડ કરી

સુરત: શહેરના નોન કન્ટેઈનમેન્ટ ઝોન કાપોદ્રા વડવાળા સર્કલ તેમજ સરથાણા વ્રજભૂમિ સેક્ટર 2 ખાતે સાંજે ચાર વાગ્યા બાદ ગેસ રીપેરીંગની દુકાન, ગેરેજ અને ડેરી ચાલુ રાખનાર ત્રણની સ્થાનિક પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

લોકડાઉન 4 માં જાહેર થયેલી છૂટછાટ મુજબ નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં સાંજે ચાર વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક વિસ્તારમાં ત્યાર બાદ કેટલીક દુકાનો ચાલુ રહે છે. 

ગતસાંજે 6.10 કલાકે વડવાળા સર્કલ પાસે દેવનારાયણ સ્ટીલની દુકાન ચાલુ હોય તેમજ ત્યાં ગ્રાહકો એકત્ર થયા હોય પેટ્રોલીંગમાં નીકળેલી કાપોદ્રા પોલીસ ત્યાં પહોંચી હતી.

(6:10 pm IST)