Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જળસંપત્તિ સચિવ એમ.કે. જાદવના કાર્યકાળમાં વધુ એક વર્ષનો વધારો

રાજકોટ, તા. ૩૦ :. રાજ્યના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી એમ.કે. જાદવના કાર્યકાળમાં સરકારે વધુ એક વખત વધારો કર્યો છે. સરકારે ગઈકાલે કરેલ હુકમ મુજબ તેમની નોકરીની મુદત ૩૧ મે ૨૦૨૧ સુધી વધારવામાં આવી છે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં ફરજ બજાવી ચૂકયા છે. સિંચાઈ અને પાણીને લગતી કામગીરીના દાયકાઓના અનુભવી અધિકારી છે. સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી સૌની યોજનામાં તેમનુ મહત્વનુ યોગદાન છે. તેમના સેવાકાળમાં સરકારે વધારો કરતા વિભાગના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

(3:46 pm IST)