Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સુરતના મહિધરપુરામાં આંગડિયા પેઢીના કમર્ચારીને ચપ્પુના ઘા ઝીકી લૂંટ કરનાર એક આરોપી ઝડપાયો

બારડોલીથી આવતા આંગડિયાને બેલ્જીયમ સ્કેવર નજીક લૂંટી લેવાયેલ :ઉદય કોલડિયા પોલીસની ગિરફ્તમાં :1.40 લાખનો મુદામાલ કબ્જે

સુરત:તાજેતરમાં મહિધરપુરા વિસ્તારમાં આંગડીયા પેઢીના એક કર્મચારીને ચાર શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી 3.50 લાખના પાર્સલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે  આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

  આ અંગેની વિગત મુજબ મહિધરપુરા વિસ્તારમાં બારડોલીથી આવતાં આંગડીયા પેઢીના કર્મચારીને બેલ્જીયમ સ્કેવર નજીક લૂંટી લેવામાં આવ્યો હતો. કર્મચારીને છાતિના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને લૂંટી લેવાયો હતો

  આ અંગે મહિધરપુરા પોલીસે ચારમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપીઓની મદદ કરનાર ઉદય કોલડીયા હાલ પોલીસની ગીરફ્તમાં છે અને 1 લાખ 40 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે સાથે આગામી સમયમાં અન્ય મુદ્દામાલ કબ્જે લેવામાં આવશે તેવી આશા પોલીસ સેવી રહી છે.

(7:40 pm IST)