Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વડોદરામાં મંગેતરને મળવા આવેલ યુવતિનો મૃતદેહ મળ્યોઃ હત્યા કે આત્મહત્યા ?

વડોદરાઃ વડોદરાની આનંદવન સોસાયટીનાં એક મકાનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવતી પંચમહાલના કંડાચ ગામની રહેવાસી છે. જે પોતાના મંગેતરને મળવા માટે વડોદરા આવી હતી. ત્યારે આજે તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

યુવતીની સગાઈ થોડા દિવસો પહેલા વડોદરાના યુવક સાથે થઈ હતી. જેથી યુવતી પોતાના મંગેતરને મળવા માટે વડોદરા આવી હતી. ત્યારે વડોદરાના આનંદવન સોસાયટીના મકાનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ યુવતીની કોઈએ હત્યા કરી છે કે પછી આત્મહત્યા કરી છે. તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

પરંતુ મૃતક યુવતીના મંગેતરે યુવતી પર પ્રેમ સંબંધ અને આડા સંબંધનો આરોપ લગાવ્યો છે. જેને લઈને યુવતીના મોતનું રહસ્ય ઘુંટાય રહ્યું છે.

જો કે હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ પરિવારજનોનાં નિવેદન પણ લેવામાં આવી રહ્યાં છે.

(7:21 pm IST)