Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વડોદરામાં 15 દિવસ પહેલા પ્રભુતામાં પગલાં માંડેલ પરિણીતાની લાશ ભેદી સંજોગોમાં ઘરમાંથી મળી આવી

વડોદરાઃ 15 દિવસ પહેલાં પ્રભુતામાં પગલા પાડનાર વડોદરા શહેરના સમા વિસ્તારની પરિણીતાની તેના ઘર નજીક અવડ પડી રહેલી સોસાયટીના એક મકાનમાંથી આજે સવારે લોહીથી લથપથ લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. પત્નીના પૂર્વ પ્રેમીએ હત્યા કરી હોવાનો આરોપ પતિએ મુકતા પોલીસે રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના કંડાચ ગામની રહેવાસી કરૂણાબહેન નગીનભાઇ પટેલનું વડોદરા શહેરના ન્યૂ સમારોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા અને છેલ્લા બે વર્ષથી શિક્ષીત બેરોજગાર જયેશ પટેલ સાથે સાદાઇથી (ફૂલહાર) લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ ગૃહે રહેતી કરૂણા પટેલ ઘરેથી નીકળી હતી. જે મોડે સુધી ઘરે પરત આવી હતી. પતિ તેમજ પરિવારજનો દ્વારા રાત્રે શોધખોળ પણ કરી હતી. પરંતુ કરુણાનો પત્તો મળ્યો હતો.

(6:19 pm IST)