Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વાલિયાના હીરાપોરમાં ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાયો

સરપંચ દ્વારા દીપડા અંગે જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરું મૂકીને પુરી લેવાયો

વાલિયા અને ઝઘડિયા તાલુકામાં ખેતરે કામ કરતા શ્રમિકો અને ઘર બહાર બાંધેલા પશુઓની ઉપર દીપડાના હુમલાની ઘટનાઓ બનતા  ગામ લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકો મુસીબતનો અવાર-નવાર સામનો કરતા હોય છે. હીરાપોર ગામના સરપંચ દ્વારા લોકોને દીપડાના ભયથી મુક્ત કરાવવા વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકાતાં 4 વર્ષનો દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(8:40 pm IST)