Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે ૧૨૪ નવા કેસો : ૧૨ નાં કરુણ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  ગુજરાત ભર માં કોરોના એ કહેર વર્તાવ્યો છે જેમા થી વલસાડ જિલ્લો પણ બાકાત નથી રહીયો.
   છેલ્લા કેટલાક દિવસ થી તો દરરોજ ૧૦૦ વધું નવા કેસો આવી રહિયા છે તેમજ કોરોના વધું ને વધું ક્રૂર બનતો જતો હોય તેમ ૧૦ કે તેથી વધુ દર્દી ઓ ને મોતના મુખમાં ખેચી જાય છે.
   જેની સામે ૫૦ થી ૬૦% દર્દી જ દર્દી જ સાજા થાય છે.આજે એટલે કે ૩૦ મી એપ્રીલ નાં રોજ ૧૨૪ નવા કેસો આવેલ છે.જેની સામે ૧૨ દર્દી ઓ મોત ને ભેટયા છે.
    નવા કેસો માં આજે વલસાડ ૪૮, પારડી ૧૭, વાપી ૧૬, ઉમરગામ ૩૫, ધરમપુર ૦૫, અને કપરાડા ૦૩ નવા કેસો આવેલ છે.

(8:35 pm IST)