Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક કેસ સાથે અત્યારસુધીના સર્વાધિક 10,180 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 14,605 કેસ નોંધાયા :173 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 7183 થયો : કુલ 4,18,548 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 1.64,425 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5439 કેસ,સુરતમાં 2011 કેસ,વડોદરામાં 921 કેસ,જામનગરમાં 748 કેસ,રાજકોટમાં 663 કેસ, મહેસાણામાં 516 કેસ,ભાવનગરમાં 512 કેસ,ગાંધીનગરમાં 331 કેસ, જૂનાગઢમાં 272 કેસ, દાહોદમાં 268 કેસ,બનાસકાંઠામાં 234 કેસ,પાટણમાં 233 કેસ,સુરેન્દ્રનગરમાં 211 કેસ,અમરેલીમાં 197 કેસ,ખેડામાં 179 કેસ, સાબરકાંઠામાં 161 કેસ, કચ્છમાં 157 કેસ, નવસારીમાં 142 કેસ, ભરૂચમાં 133 કેસ, આણંદમાં 132 કેસ, મહીસાગરમાં 129 કેસ, વલસાડમાં 126 કેસ, અરવલ્લીમાં 119 કેસ, નર્મદામાં 118 કેસ, પંચમહાલમાં 114 કેસ, ગીર સોમનાથમાં 111 કેસ, તાપીમાં 99 કેસ, મોરબીમાં 94 કેસ, નોંધાયા :હાલમાં 1,42,046 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 10,605 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 14,605 કેસ નોંધાયા છે જયારે વધુ 10,180 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 4,18,548 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 173 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 7183 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 73,72 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,42,046 એક્ટિવ કેસ છે, જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 1,41,433 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4,18.548 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 96,94,726 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 23,92,499 બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,20,87,266 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 53,216 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 94,377 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14,605 કેસમાં અમદાવાદમાં 5439 કેસ,સુરતમાં 2011 કેસ,વડોદરામાં 921 કેસ,જામનગરમાં 748 કેસ,રાજકોટમાં 663 કેસ, મહેસાણામાં 516 કેસ,ભાવનગરમાં 512 કેસ,ગાંધીનગરમાં 331 કેસ, જૂનાગઢમાં 272 કેસ, દાહોદમાં 268 કેસ,બનાસકાંઠામાં 234 કેસ,પાટણમાં 233 કેસ,સુરેન્દ્રનગરમાં 211 કેસ,અમરેલીમાં 197 કેસ,ખેડામાં 179 કેસ, સાબરકાંઠામાં 161 કેસ, કચ્છમાં 157 કેસ, નવસારીમાં 142 કેસ, ભરૂચમાં 133 કેસ, આણંદમાં 132 કેસ, મહીસાગરમાં 129 કેસ, વલસાડમાં 126 કેસ, અરવલ્લીમાં 119 કેસ, નર્મદામાં 118 કેસ, પંચમહાલમાં 114 કેસ, ગીર સોમનાથમાં 111 કેસ, તાપીમાં 99 કેસ, મોરબીમાં 94 કેસ, નોંધાયા છે

(7:53 pm IST)