Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વડોદરાની સમરસ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ હાથમાંથી ચાંદીનું કડુ ગાયબ થતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરની સમરસ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયા બાદ તેના હાથમાંથી ચાંદીનુ ૬૦૦ ગ્રામ વજનનું કડુ ગાયબ થતા  પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છાણી વિસ્તારના ૫૦ વર્ષના રવિશંકર નામના દર્દી કોરોના સંક્રમિત થયા હતા.ત્રણ દિવસ  પહેલા તેઓને સારવાર માટે સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આજે સવારે હોસ્પિટલમાંથી તેમને કોલ આવ્યો હતો કે,તમારા પેશન્ટનું મોત થયુ છે.તમે આવી જાવ.જેથી,પરિવારજનો સમરસ હોસ્પિટલમાં આવ્યા  હતા.તેમના  પરિવારજનો આક્ષેપ કર્યો હતો કે,તેમના હાથમાં ચાંદીનુ કડુ હતુ.તે ગાયબ છે.તેમના પુત્રએ કહ્યુ હતું કે,તમારે જેટલા રૃપિયા જોઇતા હોય એટલા લઇ લો.પણ મારા પિતાની અંતિમ નિશાની મને આપી દો.મૃતકના ભત્રીજાએ જણાવ્યું હતું કે,મારા ફુવાને  દાખલ કર્યા ત્યારે તેમના  હાથમાં કડુ હતું.પરંતુ,તેમના મૃતદેહ પરથી કડુ ગાયબ છે.અને અંગે અમે  પોલીસને પણ જાણ કરી છે.ફતેગંજ પોલીસે અંગે તપાસ  હાથ ધરી છે.પરંતુ,મૃતકના પરિવારજનો અંતિમ વિધિમાં રોકાયા હોય મોડી સાંજ સુધી ફરિયાદ કરવા આવ્યા નહતા.

(5:08 pm IST)