Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જરૂરિયાતવાળા લોકોને ૮.૯૫ લાખ ફુડપેકેટનું વિતરણ કરાયું

ગુજરાતના લોકડાઉનના છઠ્ઠા દિવસે નોંધપાત્ર સેવા : ફેરિયાઓ-છુટક વેપારી, કર્મીઓને એક લાખ ૫૯ હજાર પાસ ઇશ્યુ : રૂપાણીના નેતૃત્વમાં પુરવઠા સ્થિતિની સમીક્ષા

અમદાવાદ,તા.૩૦ : વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસને વ્યાપક પ્રસરતો અટકાવવાની સતર્કતા રૂપે દેશવ્યાપી ર૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પ્રજાજનોનાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ સુચારૂ રૂપે મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના વહિવટીતંત્રએ અંગેનું સુદ્રઢ આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં લોકડાઉનના ૬ઠ્ઠા દિવસની પરિસ્થિતીની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિઃસહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને બે ટાઇમ પુરતું ભોજન મળી રહે તે હેતુસર સ્થાનિક જિલ્લાતંત્રોને સેવા સંગઠનો સાથે સંકલન કેળવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પ્રેરિત કરેલું છે.

        સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં આવા લોકોને ફૂડપેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં લાખ ૯પ હજાર ફૂડપેકેટસનું વિતરણ થયું છે. સોમવારના એક દિવસમાં .૭૦ લાખ આવા ફૂડ પેકેટસ રૂરતમંદ વ્યકિત-પરિવારોને અપાયા છે. રાજ્યના મહાનગરોમાં મહાનગરપાલિકાઓએ સ્વૈચ્છિક સંગઠનો અને સેવાભાવી દાતાઓના સહયોગથી આવા લાખ હજાર ફૂડ પેકેટ સોમવાર એક દિવસમાં વિતરીત કરેલા છે એમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, પ્રજાજનો-નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સરળતાએ મળી રહે તે માટે ફેરિયાઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાના શ્રમિક કર્મીઓ સહિત .પ૯ લાખ વ્યકિતઓ માટે પાસ સંબંધિત સ્થાનિક તંત્ર વહિવટી તંત્ર તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિશ્વવ્યાપી મહામારી સામે લડવા માટે રૂરી ફંડ ઊભું કરવા મુખ્યમંત્રી રાહતનિધિમાં જનતા જનાર્દનને ફાળા-યોગદાન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ આપતાં સોમવાર બપોર સુધીમાં નિધિમાં ર૭ કરોડ રૂપિયાની રાશિ સ્વૈચ્છિક દાતાઓ, ધર્મસંગઠનો, સેવાવ્રતીઓએ જમા કરાવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીના સચિવએ આપી હતી.

         અશ્વિનીકુમારે રાજ્યમાં દૂધ-શાકભાજી-ફળફળાદિ વગેરેના પુરવઠાની ઉપલબ્ધિની વિગતો આપતાં ઉમેર્યુ કે, સોમવારે રાજ્યના નાગરિકોને ૪૪.૮ર લાખ લિટર દૂધનું વિતરણ થયું છે. દૂધ ઉપરાંત દૂધની અન્ય બનાવટ-મિલ્ક પ્રોડકટસનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં છે તેની છણાવટ કરતાં તેમણે કહ્યું કે, ૮૧૦૦ મે.ટન બટર-માખણ, ૩રપ૦૦ મે.ટન મિલ્ક પાવડર, ૧૧૦ મે.ટન પનીર અને ૩૭પ મે.ટન ચીઝ અત્યારે ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં શાકભાજી અને ફળફળાદિ પણ બેરોકટોક નિયમીતપણે આવતા રહ્યા છે. સોમવારે રાજ્યમાં લાખ હજાર ૪૪૦ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં, ર૧૮૯પ કવીન્ટલ બેટેટા, રપ૪૭ર કવીન્ટલ ડુંગળી, ૧૦૬૭૮ કવીન્ટલ ટામેટા અને ૪૯૧૭૬ કવીન્ટલ અન્ય લીલા શાકભાજી આવ્યા છે.

         ચૈત્રી નવરાત્રિના પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત કરનારા લોકોને ફળફળાદિ પણ પૂરતી માત્રામાં મળી રહે છે. રાજ્યમાં આવા ૧પ૪૩૬ કવીન્ટલ ફળોની સોમવારે આવક થઇ છે તેમાં સફરજન ૭૮૦ કવીન્ટલ, કેળાં પ૬ર કવીન્ટલ અને અન્ય ફળો દ્રાક્ષ-ટેટી-તડબૂચ વગેરે ૧૪૦૯૩ કવીન્ટલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના નાગરિકોને ત્વરાએ રૂરી સહાયતા મળે તે માટે રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ હેલ્પલાઇન ૧૦૭૭ કાર્યરત કરાવેલી છે. હેલ્પલાઇનમાં ૧૦૭૦ને ૯૦૮ કોલ્સ અને ૧૦૭૭જિલ્લા હેલ્પ લાઇનને ૬૧૦૩ કોલ્સ અત્યાર સુધી મળ્યા છે.

વિવિધ ચીજોનું વિતરણ

સોમવારના દિવસે આંકડા શું રહ્યા

અમદાવાદ, તા. ૨૮ : મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે અનેક મહત્વની માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સોમવારે પણ સેવા જારી રહી હતી. આજે કઇ ચીજોનું કેટલું વિતરણ થયું તે નીચે મુજબ છે.

દૂધનું વિતરણ

૪૪ લાખ ૮૨ હજાર લીટર

બટર-માખણનું વિતરણ

૮૧૦૦ મેટ્રિક ટન

મિલ્ક પાવડરનું વિતરણ

૩૨૫૦૦ મેટ્રિક ટન

પનીરનું વિતરણ

૧૧૦ મેટ્રિક ટન

ચીઝનું વિતરણ

૩૭૫ મેટ્રિક ટન

શાકભાજીનું વિતરણ

૧૦૭૪૪૦ ક્વિન્ટલ

બટાકાનું વિતરણ

૨૧૮૯૫ ક્વિન્ટલ

ડુંગળીનું વિતરણ

૨૫૪૭૨ ક્વિન્ટલ

ટામેટાનું વિતરણ

૧૦૬૭૮ ક્વિન્ટલ

લીલા શાકભાજીનું વિતરણ

૪૯૧૭૬ ક્વિન્ટલ

ફળોની આવક

૧૫૪૩૬ ક્વિન્ટલ

સફરજનની આવક

૭૮૦ ક્વિન્ટલ

કેળાની આવક

૬૬૨ ક્વિન્ટલ

ટેટી-તરબૂચની આવક

૧૪૦૯૩ ક્વિન્ટલ

(8:38 pm IST)