Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુરતમાં કિન્નર સમાજે 1200 અનાજની કીટનું વિતરણ કરી જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતને સંતોષી

સુરત:કોરોના કહેર વચ્ચે દરરોજ કમાઈને ખાનારા લોકો અને જરૂરિયાતમંદ લોકોને હાલ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સુરતની સામાજિક સંસ્થાઓએ આવા જરૂરિયાતમંદ લોકોને અનાજ, પાણી અને ફુડ પેકેટની વ્યવસ્થાઓ કરવાની શરૂઆત કરી દીધી છે.

આ બધામાં કિન્નર સમાજએ પણ છેલ્લા ચાર દિવસથી ફુડ પેકેટ સહિત અનાજની કીટ સુરતના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મંદ લોકોને આપવાની શરૂઆત કરી છે જ્યારે નાનપુરા હિજડાવાડના કિન્નરો દ્વારા 1200 જેટલી અનાજની કીટ બનાવીને શ્રમિકોને વિતરણ કરવામાં આવી હતી.

(5:51 pm IST)