Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આણંદ જિલ્લામાં 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા:935 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા

આણંદ:સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

તદ્દઅનુસાર જિલ્લામાં તા.૨૭/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૨૨૩૭ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તા.૨૮/૦૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૫૯ પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યાર સુધીમાં કુલ ૨૩૯૬ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. પૈકી ૧૪૬૧ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે ૯૩૫ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોરોના ( ૧૯) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે તા.૨૭/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા.૨૮/૩/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ સાત દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનફલુ/કોરોનાના ૩૬ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી. છારીએ જણાવ્યું છે.

(5:50 pm IST)