Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુરત એપીએમસી દ્વારા ભીડ ઘટાડવા વેપારી, ખેડૂત અને ગ્રાહકોને માર્કેટમાં જવાનો સમય અલગ અલગ નકકી કર્યો

માર્કેટમાં આવતા તમામે માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે

સુરતઃ લોકડાઉનને કારણે જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે એપીએમસીમાં જતા વેપારીઓ, ખેડુતો અને ગ્રાહકો પૈકી અમુક લોકો બેદરકારી દાખવી માસ્ક પહેરતા ન હોય તેમજ એક બીજાથી અંતર કેળવતા ન હોય પોલીસને આ બાબત ધ્યાને આવતા શુક્રવારે અમુક સમય માટે એપીએમસીને બંધ કરાવી હતી. તેથી બેદરકારીનું પુનરાવર્તન નહીં થાય તે માટે એપીએમસી દ્વારા વેપારીઓ, ખેડૂતો અને ગ્રાહકો માટે માર્કેટમાં જવાનો સમય અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે.

(4:00 pm IST)