Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપળા દ્વારા માનવ સેવા રથ થકી રવિવારે ૬૦૦ થી વધુ માણસોને ભોજન અપાયું

લોકડાઉન સુધી સેવાકાર્યના નામથી જાણીતા ટાઇગર ગ્રુપના કાર્યકર્તા હંમેશા દેશની સેવા માટે તૈયાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડતાલ વિહારી હરિકૃષ્ણ મહરાજની અસીમ કૃપાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપલાના શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ચાલતા માનવ સેવા રથ દ્વારા રવિવારે સવારની ભોજન સેવામાં ૪૦૦ ઉપરાંત માણસોને ભોજન કરાવ્યુ હતું.જ્યારે સાંજની ભોજન સેવામાં ૨૦૦ ઉપરાંત માણસોને ભોજન કરાવ્યુ.બહાર ગામથી ચાલતા આવતા ભૂખ્યા માણસો અને પોલીસ પ્રશાસન અને અમારી જાણ મુજબ રાજપીપલાના ગરીબ પરિવારોને ઘરે ઘરે જઈને ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી પહોચાડી ભૂખીયાઓ ની સેવા કરી છે.સેવાકાર્યના નામથી જાણીતું ટાઇગર ગ્રુપ ના કાર્ય કર્તા હંમેશા દેશની સેવા માટે તૈયાર છે અને જ્યાં સુધી લોક ડાઉન રહશે ત્યાં સુધી ભૂખ્યાને માનવસેવા દ્વારા ભોજન પોહચાડતા રહેશે.

(12:23 pm IST)