Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજ્યમાં આજે કોરોના નો નવો કોઈ પોઝિટિવ કેસ નથી નોંધાયો : વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા : આજે પણ કોઈ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : કુલ મૃત્યુઆંક 11,046 : કુલ 12.66.595 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 4249 લોકોનું રસીકરણ કરાયું : હાલમાં રાજયમાં ફક્ત 8 કોરોનાનાં એક્ટીવ કેસ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નો નવો કોઈ પોઝિટિવ કેસ નથી નોંધાયો , જયારે વધુ 4 દર્દી સ્વસ્થ થયો છે. અત્યાર સુધીમાં કુલ 12,66,595 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું, જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે, તો સામે રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં આજે વધુ 4249 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.35,387 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ ફક્ત 8 એક્ટિવ કોરોના ના કેસ છે, જેમાંથી આઠેય દર્દીઓ સ્ટેબલ હાલત માં છે.

(7:45 pm IST)