Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મહેમદાવાદ તાલુકાના નેનપુરમાં કપિરાજને ખસેડવા બાબતે એક ખેડૂત પર હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના નેનપુર સીમમાં પોતાના ખેતરમાંથી વાંદરા નસાડતા એક ખેડૂતને એક શખ્સે તમે અમારા ઘર તરફ વાંદરા કેમ નસાડો છો, તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ સંદર્ભે ખેડૂતનો પુત્ર ઠપકો આપવા જતાં ચાર શખ્સોએ ભેગા મળી ડાબા હાથના બાવડા પર ધારિયાનું પૂઠું તથા માથામાં લાકડી મારી ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના નેનપુર રોહિતવાસમાં હસમુખભાઈ કનુભાઈ પરમાર રહે છે. તેઓ વાલ ખાતે સિક્યુરિટીમાં નોકરી કરે છે. દરમિયાન તેઓના ઘઉંના ખેતરમાં વાંદરાઓ નુકસાન કરતા હોવાથી કનુભાઈએ વાંદરા નસાડતાં વાંદરાઓ બાજુમાં આવેલા વિપુલભાઈના ઘર તરફ નાસવા લાગ્યા હતા. જેથી વિપુલભાઈ કનુભાઈને અપશબ્દો બોલી મારવા લાગ્યા હતા. જેથી નજીકમાંથી કમળાબેન ઠાકોેરે દોડી આવી કનુભાઈને મારમાંથી છોડાવ્યા હતા. દરમિયાન આ સંદર્ભે હસમુખભાઈ વિપુલભાઈને ઠપકો કરવા જતાં અપશબ્દો બોલી હસમુખને ડાબા હાથના બાવડા પર ધારિયાનો પૂઠું મારી હિતેશે માથામાં લાકડી મારી તથા ધમાબેન તથા યશવંત મકવાણાએ ગડદાપાટુનો માર માર્યો હતો.

 

(7:33 pm IST)