Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નર્મદા જિલ્લામાં સોમવારે એક પણ કોરોના પોજેટિવ કેસ ન નિકળતા જિલ્લાનો કુલ આંક 1741 પર સ્થિર રહ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન  હોય એ બાબત અત્યારસુધી ની સૌથી મોટી  રાહતની ગણી શકાય
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 01 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 15 દર્દી દાખલ છે.આજે 06  દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે જ્યારે આજદિન સુધી જિલ્લા માં કુલ 1704 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1741 પર પહોચ્યો છે.આજે વધુ 237 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:18 pm IST)