Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

દક્ષિણ આફ્રિકામાં ભરૂચના વેપારીનું મોતઃ ભારતીયો ઉપર વિદેશમાં હુમલાથી ચિંતા

ભરૂચ તા.ર૯ : દક્ષિણ આફ્રિકામાં ભરૂચના વેપારીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ વેપારી લાપત્તા થયા બાદ તેનો મૃતદેહ મળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના વેપારી સલીમ પટેલ સાઉથ આફ્રિકામાં પોતાના ઘરથી ૪૦ કિલોમીટરના અંતરે દુકાન ચલાવતા હતા. બુધવારની સાંજે તેમની પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી હતી બાદમાં તેઓ લાપત્તા થયા હતા. ત્યારબાદ તેમનો મૃતદેહ મળતા પરિવારજનો પર આભ તુટી પડયુ હતુ.

તેમના મોતના સમાચાર મળતા ભરૂચ ખાતેના નિવાસસ્થાને પરિવારજનો પહોંચ્યા હતા. સલીમ પટેલ સાથે રહેતા ઇનાયત હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમણે ભારતીયો પર વધી રહેલા હુમલાને લઇને ચિંતા વ્યકત કરી છે. આ મામલે કલેકટર મારફત ભારતના વડાપ્રધાન અને વિદેશમંત્રીને પત્ર પાઠવીને આફ્રિકામાં ભારતીયોના મોતની વધી રહેલી ઘટના બાબતે અસરકારક પગલા લેવાની માંગણી કરી છે.

(6:11 pm IST)