Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રાજ્યમાં કોરોના બેકાબુ : નવા 1564 કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત :વધુ 1451 દર્દીઓ સાજા થતા કુલ 1,89,420 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,08,278 થયો : મૃત્યુઆંક 3969

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 345 કેસ, સુરતમાં 278 કેસ, વડોદરામાં 171 કેસ, રાજકોટમાં 149 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, ખેડામાં 57 કેસ, મહેસાણામાં 51 કેસ, સુરેન્દ્રનગરમાં 40 કેસ, બનાસકાંઠામાં 38 કેસ, જામનગરમાં 35 કેસ, પંચમહાલમાં 33 કેસ, પાટણમાં 30 કેસ, જૂનાગઢ અને ભાવનગરમાં 29-29 કેસ, આણંદમાં 28 કેસ, દાહોદમાં 26 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 14,889 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે  1564 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1564 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1451 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,08,278 થઇ છે જયારે આજે વધુ 1451 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,89,420 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 16 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3969 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 90,95 થયો છે

  રાજ્યમાં હાલ 14,889 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર જ્યારે 14,803 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 68,960 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 77,59,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચમાં 1 અને ખેડામાં 1 મળીને કુલ 16 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા 1564 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 345 કેસ, સુરતમાં 278 કેસ,વડોદરામાં 171 કેસ,રાજકોટમાં 149 કેસ,ગાંધીનગરમાં 58 કેસ, ખેડામાં 57 કેસ,મહેસાણામાં 51 કેસ,સુરેન્દ્રનગરમાં 40 કેસ, બનાસકાંઠામાં 38 કેસ, જામનગરમાં 35 કેસ,પંચમહાલમાં 33 કેસ, પાટણમાં 30 કેસ,જૂનાગઢ અને ભાવનગરમાં 29-29 કેસ,આણંદમાં 28 કેસ,દાહોદમાં 26 કેસ નોંધાયા છે

(7:53 pm IST)