Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રાજપીપળા વીજ કંપનીના કર્મચારીની ગારીયાધાર પરણાવેલી દીકરી ગુમ થતા પતિએ પોલીસનું શરણ લીધું

બે સંતાનોની માતા પિયર ભરૂચ જવાનું કહી સાસરીયામાંથી નીકળ્યા બાદ લાપતા થતા બંને પરિવારો ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીમાં કામ કરતા કર્મચારી મુકેશભાઈ તાપિયાવાલાની ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે પરણાવેલી દીકરી મહેશ્વરી ઉ.વ.25 ગત તારીખ ૧૯ મીની વહેલી સવારે પોતાના પિયર ભરૂચ જવાનું કહી બે બાળકો ને સાસરીમાં મૂકી નીકળી હતી જે તપાસ કરતા ભરૂચ પોતાના પિયર ન પહોંચતા પતિ અશોક વતાદરાએ ઘણી શોધખોળ બાદ પણ પત્ની મહેશ્વરીનો ક્યાંયે પત્તો ન લાગતા આખરે તેમણે ગારીયાધાર પો.સ્ટે.માં પત્ની ગુમ થવા બાબતે ફરિયાદ અપાતા પોલીસે તપાસ હાથ ધરી છે.બીજી તરફ રાજપીપળા વીજ કંપનીમાં કામ કરતા પિતા મુકેશભાઈ તાપિયાવાલાએ પણ પુત્રી મહેશ્વરી ની શોધખોળ ના ચક્રો ગતિમાન કર્યા છે

(11:17 pm IST)