Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વડોદરા: દરબાર ચોકડી નજીક એકજ સોસાયટીના બે મકાનો તસ્કરોના નિશાન બન્યા: સોનાના દાગીના સહીત રોકડ સાથે ત્રણ લાખની મતાની ઉઠાંતરી

વડોદરા:માંજલપુર દરબાર ચોકડી પાસેથી સુબોધનગર સોસાયટી તથા તરસાલીની ચંદ્રનગર સોસાયટીના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના તેમજ રોકડા રૃપિયા મળીને ત્રણ લાખ ઉપરાંતની મતા ચોરી ગઈ હતી.

ચોરીના બનાવની મળતી માહિતી મુજબ પોલોગ્રાઉન્ડ પાસે સાંઈ ફલેટસમાં રહેતા ભૂષણ કાયશીકર આણંદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં મેનેજર છે. તેમના માતા માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલી સુબોધનગર સોસાયટીમાં રહે છે. ગત ૧૧મી નવેમ્બરે તેમની માતાની તબિયત નાદુરસ્ત થતાં તેઓ માતાને પોતાના ઘરે લઈ આવ્યા હતા. તે દરમિયાન ચોર ટોળકી બંધમકાનના તાળા તોડીને આઠ તોલાના સોનાના દાગીના ચાંદીનો ગ્લાસ, તરભાણુ મળીને ૧.૯૦ લાખ રૃપિયાની મતા ચોરી ગઈ હતી. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)