Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ચીખલી તાલુકામાં ૫૯ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના નિર્ણયનો વિરોધ : ઉગ્ર સુત્રોચાર કરાયા

રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું

નવસારીના ચીખલી તાલુકામાં ૫૯ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના નિર્ણયનો વિરોધમાં કરવામાં આવ્યો હતો. કોંગી ધારાસભ્ય અને કાર્યકરોએ ચીખલીના બગલાદેવ મંદિરથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

  ઉગ્ર સુત્રોચ્ચાર સાથે સરકાર આદિવાસી બાળકો સાથે સરકાર અન્યાય કરવા જઇ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો ન્યાય ન મળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

(9:51 pm IST)