Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ભરૂચમાં ખનીજ માફિયા બેફામ બનતા RTO અને ખાણ ખનીજ વિભાગનું સઘન ચેકીંગ :ઝઘડિયામાંથી 25 જેટલી ટ્રકો ઝડપાઈ

ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. બે દિવસ પહેલાં ઝઘડિયા તાલુકામાં એક સરપંચની ફરિયાદનાં આધારે તપાસ અર્થે ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પરત ફરી રહી હતી. તેવામાં અન્ય એક સ્થળે ઓવરલોડ ટ્રકોમાં માટીનું વહન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતાં અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી

ઝઘડિયા તાલુકામાં તપાસ દરમિયાન ખાણ અને ખનિજ વિભાગનાં આધિકારીઓ ઉપર 20 જેટલાં શખ્સોએ હુમલો કરતાં ત્રણ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા આકરૂ વલણ દાખવી આજરોજ ભરૂચ આરટીઓ કચેરીનાં અધિકારીઓ સાથે મળીને ઝઘડિયા તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

આ ચેકિંગ વેળાં 25 જેટલાં ઓવરલોડ વાહનો પકડી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:26 pm IST)