Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

31 ઓક્ટોમ્બરે રાષ્ટિય એકતા દિવસની ઉજવણી માટે આવતા વડાપ્રધાન મોદી 12 પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બે દિવસ બાદ 31 ઓક્ટોમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પી.એમ. મોદી સ્ટેચ્યુ પાસે બનાવેલા 12 પ્રોજકટોનું ઉદ્ધઘાટન કરવાના છે જેમાં ખાસ 31 તારીખે સવારે 6 કલાકે આરોગ્ય વનનું પણ ઉદ્ધઘાટન કરવાના છે આ આરોગ્ય વન 17 એકર જમીનમાં ફેલાયેલા વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે આવેલ યોગ ગાર્ડનમાં પ્રધાનમંત્રી મોદી આવશે અને વિધિવત લોકાર્પણ કરીને 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરશે.તે માટેની હાલ અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વડા પ્રધાન મોદી યોગને ખાસ પ્રાધાન્ય આપે છે ત્યારે આ વિશ્વ આરોગ્ય ઔષધીય વન તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે અને અહીંયા આયુર્વેદિક1000 થી વધારે વિવિધ છોડ ઉગાડવામાં આવ્યા છે.

(10:42 pm IST)