Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અમદાવાદમાં સંધની પદસંચાલન રેલી : મુસ્લિમ બિરદારોએ ફુલોથી કર્યું સ્વાગત

જુહાપુરા અને વેજલપુરમાં RSS દ્વારા નિકળેલી પદસંચાલનનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં RSS દ્વારા આજે પદસંચાલનનું રેલીનું આયોજન કરાયું હતું દર  વર્ષે સંઘ દ્વારા વિજયાદશમી બાદ શહેરાનાં વિવિધ વિસ્તારોમાં પદસંચાલનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અમદાવાદનાં સાત ભાગમાં પદસંચાલન યોજાય છે.

  આજે 300 સ્વયંસેવકો પદસંચાલનમાં જોડાયા હતા. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા જુહાપુરા અને વેજલપુરમાં RSS દ્વારા નિકળેલી પદસંચાલનનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું. આ સાથે જ આ રેલીમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા પણ જોવા મળી હતી. 

(6:22 pm IST)