Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગુજરાતની આશાવર્કરનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

આશાવર્કરોની ઇન્ડીયા ગેટ થી રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી : ચંદ્રિકાબેન સોલંકીને આવેદન આપવા પીએમઓ લઇ જવાયા.

અમદાવાદ :  આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે. તો બીજી બાજુ પડતર માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે આંદોલન ચલાવી રહેલી આશાવર્કરોએ પોતાના ન્યાય માટે હજુ પણ લડત ચલાવી રહી છે

 . પડતર માંગણીઓને લઇ આશાવર્કરોનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં ધરણાં ઉપર બેઠું છે .ગુજરાતની આશાવર્કરનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે, પોલીસની ઘાકધમકી હોવા છંતા પણ આશાવર્કરો મક્કમતાથી વિરોધ કરી રહી છે.ચંદ્રિકાબેન સોલંકીને આવેદન આપવા પીએમઓ લઇ જવામાં આવ્યા હતા.

(11:11 pm IST)