Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : નવા 114 કેસ નોંધાયા:વધુ 128 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.034 થયો :કુલ 12.62.746 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 90.052 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 886 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 114 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 146 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.746 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,034 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 90.052 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,67.83.670 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 886 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 882 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 114 કેસમાં અમદાવાદમાં 33,સુરતમાં 22, વડોદરામાં 10, રાજકોટમાં 09, સુરત જિલ્લામાં 07, વડોદરા જિલ્લામાં 05, વલસાડમાં 05, નવસારીમાં 04, ગાંધીનગરમાં 03, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, પાટણમાં 02, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે 

(8:27 pm IST)