Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભાજપ માટે બ્રહ્મસમાજ પરીશ્રમની પરાકાષ્‍ટા સર્જશેઃ રામભાઇ મોકરીયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે રાજકોટમાં બ્રહ્મસમાજના આગેવાનોની મળી ગયેલ બેઠક

રાજકોટ તા. ર૯ : દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને જ ે. પી. નડાના નેતૃત્‍વમાં સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્‍વવાળી સરકારો કાર્યરત છે. ત્‍યારે આગામી દિવસોમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થાય તે માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલજી દ્વારા ગુજરાતમાં બ્રહ્મકમિટિની રચના કરવામાં આવેલ છે. જેમાં ચેરમેન તરીકે રામભાઇ કોરીયા, રંજનબેન ભટ્ટ, ભાર્ગવભાઇ ભટ્ટ, જાન્‍હવીબેન વ્‍યાસ, યજ્ઞેશભાઇ દવે, વિનોદભાઇ દેશાઇનોફ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્‍ય વિજયને વરે તે માટે બ્રહ્મસમાજ એક તાંતણે બંધાઇ સંગઠીત થાય તે માટે બ્રહ્મસમાજના આગેવાનોની એક અગત્‍યની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં રાજયસભાના સાંસદ અને પ્રદેશ ભાજપ બ્રહ્મકમિટિના ચેરમેન રામભાઇ મોકરીયા, જીતુભાઇ મહેતા, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, કમલેશભાઇ જોષીપુરા, દર્શિતભાઇ જાની, ડો. નવલકુમાર શીલુ, પી. સી. વ્‍યાસ, જયમીન ઠાકર, પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, પરાગ મહેતા, પુવેૃશ ભટ્ટ, અતુલ પંડીત, શૈલેષ જાની, જયેશભાઇ જાની, કલ્‍પકભાઇ ત્રિવેદી, દેવાંગ માંકડ, કિરીટભાઇ પાઠક, રૂચીતાબેન જોષી, અલ્‍પાબેન દવે, ડો. દર્શનાબેન પંડયા, લીનાબેન રાવલ, આશાબેન ઉપાધ્‍યાય, નીલમબેન ભટ્ટ, કશ્‍યપ ભટ્ટ, સન્‍ની જાની, સંજય દવે, જયંતભાઇ, હરેશભાઇ, જયેશ પંડયા, હીતેશ રાવલ સહીતના સાથે ભાજપના બ્રહ્મ પરિવારના કોર્પોરેટરો તેમજ વિવિધ શ્રેણીના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

રામભાઇ મોકરીયાએ જણાવેલ કે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્‍યારે બ્રહ્મસમાજ સંગઠીત થઇને ભારતીય જનતા પાર્ટીના ભવ્‍ય વિજય માટે પરીશ્રમની પરાકાષ્‍ઠા સર્જવા કટીબદ્ધ છે ત્‍યારે વિધાનસભા વાઇઝ બ્રહ્મપરિવારો વધુને વધુ ભાજપ તરફી મતદાન કરે તે માટે બ્રહ્મસમાજના આગેવાનોને જવાબદારીની સોંપણી કરવામાં આવશે અને ત્‍યારબાદ જીલ્લા-મહાનગરો-તાલુકા અને વોર્ડ કક્ષાએ પણ બ્રહ્મ આગેવાનોને ભાજપ તરફી વધુ ને વધુ મતદાન થાય તે માટે જવાબદારીઓ સોંપવામાં આવશે.

આ તકે જીતુભાઇ મહેતાએ જણાવેલ કે બ્રાહ્મણો હંમેશા ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારા સાથે રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને વટવૃક્ષ બનાવવામાં સ્‍વ. ચીમનભાઇ શુકલ, સ્‍વ. અનંતભાઇ દવે, સ્‍વ. સુર્યકાંતભાઇ આચાર્ય, સ્‍વ. નલીનભાઇ ભટ્ટ, સ્‍વ. અશોકભાઇ ભટ્ટ જેવા બ્રહ્મ આગેવાનોએ પોતાની જાતને સમર્પિત કરી છે ત્‍યારે આવા મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઇ વર્તમાન સમયના ભાજપમાં રહેતા બ્રહ્મપરિવારોએ ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા અને રાજયના પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલજીએ ભાજપની ભવ્‍ય જીતના કરેલા સંકલ્‍પમાં સૌ સહભાગી બનીએ.

આ તકે ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, દર્શિતભાઇ જાની, આ તકે કમલેશભાઇ જોષીપુરાએ પણ પ્રાસંગીક વકતવ્‍ય આપેલ. આ બેઠકને સફળ બનાવવા નીરજ ભટ્ટ અને જયેશ પંડયાએ જહેમત ઉઠાવેલ હતી.  રામભાઇ મોકરીયા મો. ૯૯રપ૧ ૧૮૯૯૯

(11:50 am IST)